.

.
ઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સોફ્ટવેરનો સારો અને સસ્તો વિકલ્પ એટલે જ :Easyteach Edutainment Pvt.Ltd. ધોરણ-૧૧ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ માટે) ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ, ધોરણ-૯ અને ૧૦ માટે ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ તથા નર્સરી થી ધોરણ ૮ માટે ભાર વગરનું ભણતર (ગુજરાતી માધ્યમ માટે)

પ્રજ્ઞા


PRAGNA GEET.mp3



પ્રજ્ઞાગીત
બનીએ પ્રજ્ઞાવાન
આપણે બનીએ પ્રજ્ઞાવાન
પ્રજ્ઞા દ્વારા આપણા સૌનું
વિકસતું રહે જ્ઞાન .....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
હળીમળીને શીખીએ સૌએ
અસહાય ના કોઈ ....
સૌ સંગાથે વધીએ આગળ
એ જ ખરું અનુષ્ઠાન ....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
સોનું-ચાંદી-રૂપિયા-સત્તા
અઢળક હોય ભલે ને ...
જેની પાસે શિક્ષણ સાચું
એ જ ખરાં ધનવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
જીવન સાર્થક બનતું એનું
ધ્યેય છે જેની પાસે ...
દ્રઢ નિશ્વયથી વધતાં આગળ
એ જ ખરાં બળવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
                                              -
શ્રી પ્રકાશ પરમાર
સૃજનગીત
SRUJAN GEET.mp3
જ્ઞાન કે ઈસ પુન્ય પથ પર નવસૃજન કા સાથ હો.......(2)
      હમ બઢે સબકો બઢાયે,એસા દૃઢ વિશ્વાસ હો.
                                                                   જ્ઞાન કે ઈસ ......
જન્મભૂમિ કે લિયે હમ કુછ તો એસા કર ચલે
શારદે કે કમલ રજ મે જી ચલે યા મર ચલે
    ખુદ બઢે,સબકો બઢાયે......(2)
       ઐસા સાથી સાથ હો
                                                                     જ્ઞાન કે ઈસ.......
સમય કેસે બીત જાયે,કુછ સમજ ના આયેગા
પાયેગા ના કુછ તો રાહી,બાદમે પછતાયેગા
    જ્ઞાન કા દિપક જલા તું....(2)
        જગમે તેરા નામ હો
                                                                     જ્ઞાન કે ઈસ.......
મન મે હો જો ઈચ્છાશકિત,વો સફલ હો જાયેગા
અસમર્થ હો કોઈ કિતના, મેરુ પર ચઢ જાયેગા
       સૃજન કર સબકો બઢા દે.....(2)
            જ્ઞાન જ્યોતિ મશાલ કો
                                                                      જ્ઞાન કે ઈસ.......
પ્રાથમિક મિશ્રશાળા-ઉચ્છદ, તા.જંબુસર, જી.ભરૂચ.

          પ્રજ્ઞા કાર્યક્રમને અસરકારક રીતે સફળ બનાવવા માટે શું કરવું જોઈએ ?

· ધો-1 માં જયારે બાળક અને વાલી આવે ત્યારે પ્રજ્ઞા અભિગમ વિશે કમ્યુટરમાં એક ફોર્મેટ તૈયાર કરી તેની પ્રિન્ટ આઉટ અથવા ઝેરોક્ષ કરીને વાલીને આપો અને વાલીને આ કાર્યક્રમની સમજ આપો.
· દરરોજનું આયોજન નકકી કરીને તે પ્રમાણે વર્ગમાં પ્રવૃતિ કરાવો.
· વર્ગમાં ટી.એલ.એમ પૂરતાં પ્રમાણમાં રાખો જેથી એકથી વધારે બાળકોને જયારે ઉપયોગ કરવાનો થાય ત્યારે તે લઈ શકે.
· જૂથમાં હોંશિયાર,મધ્યમ તથા ધીમું શીખનાર બાળકોનો સમાવેશ કરવો.
· વાલી જયારે શાળામાં આવે ત્યારે તેના બાળકે કરેલી પ્રવૃતિ બતાવવી.
· બાળકોને તેમને જોઈતી સ્ટેશનરી સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરો.
· કાર્ડ પર આપેલ ચિત્રો યાદ રાખવાની બાળકને કોઈ જરૂર નથી.
· બાળકના કાર્યને વર્ગ સમક્ષ બિરદાવો.


             પ્રવેશોત્સવ વખતે વાલીઓને પ્રજ્ઞા કાર્યક્રમ વિશે આપવાની સુચના


· આપણી.................................................................. માં ચાલુ વર્ષથી પ્રજ્ઞા કાર્યક્રમ ધોરણ 1અને ધોરણ 2 માં અમલી બન્યો છે.
· પ્રજ્ઞા એટલે પ્રવૃતિ દ્વારા જ્ઞાન.
· પ્રજ્ઞા કાર્યક્રમ સંપૂર્ણ પ્રવૃતિ આધારીત કાર્યક્રમ હોવાથી આ કાર્યક્રમમાં બાળકોને ખૂબ જ મઝા આવશે.
· બાળકોને જરૂરી તમામ સામ્રગી જેવી કે પેન્સિલ,રબર,સંચો,બીજી અન્ય સ્ટેશનરી શાળા તરફથી આપવામાં આવશે.
· ભાર વગરના ભણતર અન્વયે તથા બાળકોને જરૂરી સામ્રગી શાળામાંથી આપવાની હોવાથી બાળકે દફતર લઈને આવવાનું રહેશે નહીં.
· સમયાંતરે આપના બાળકોની સિધ્ધીની જાણ આપને કરવામાં આવશે.

                                                                                                આચાર્ય શ્રી ..................... પ્રા.શાળા                                                                                         તાલુકો - .............. જિ-........................

Easyteach

Easyteach

નિસંતાન દંપતી અચૂક મુલાકાત લે.

.

.

.

..........................

..........................

..........................

..........................

..........................

..........................

..........................

..........................

આ બ્લોગના મુલાકાતીઓ

free counters

જોવાયેલા કુલ પાનાંઓ

© 2014 .. WP Theme-junkie converted by Bloggertheme9 Published By Gooyaabi Templates
Powered by Blogger.
back to top